Tuesday, June 1, 2010

પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુ



દુઃખોના મહાસગર સમાન ઝંઝાવાતી જીવનમાં એવો કોઇ સરળ માર્ગ છે આપણાં દિવેલીયાં મોઢા અને દેવાળીયા જીવનની પૂર્ણાહૂતિ કરી આપણા હૈયા અને હોઠને સદાય હસતાં રાખે? એવા કોઇ સંત આપણા હૈયાના ભૂંડા ઘાટ અને માનસિક સંકલ્પોના ઝેરી સંસ્કારોને અલગ કરી આપણા અંતરને મીઠી સુવાસથી ભરી દઈ આપણને નવજીવીત કરી શકે? ફૂલોના બગીચાની માફક પ્રેમાળ ભાવની સુવાસ ફેલાવતાં આપણા હ્રદય ક્યારે બનશે? હજારો વર્ષના તપના અંતે ઋષિમુનિઓ થાક્યા, સાધનાનો અંત આવ્યો અને યોગીની અવિશ્રાંત યોગ કળા પણ વિરામ પામી ગઈ છતાં પણ આપણે સાચો પુરૂષાર્થ કરીને કોઇપણ એવા સાચા સંતનું સાનિધ્ય પામી શક્યા નહિ તે વાસના ના ટાળી.ગાંધીજી કે વિનોબાજી જેવા મહાન સંતો એ ઘણા વર્ષો સુધી આપણા માટે સાધના કરી પણ નિર્વાસનિકપણાની ભાવના આપણા માં ના આવી, આપણૅ માત્ર કલ્પનાજ કરતા રહ્યા તો એ ઇન્દ્રીઓ અને અંતઃકરણનું સિધ્ધિ કરણ આ જન્મે જ નહિ પણ કેવળ બે ત્રણ વર્ષ માં શક્ય બને એવો કોઇ સરળ માર્ગ છે અથવા એવો કોઇ સમાગમ છે જેના ફળ સ્વરૂપે થોડાજ સમયમાં સુંદર પરિણામ આવે આ છે વૈજ્ઞાનિક વિકાસ અને ભૌતિક વિપુલતામાં રાચતા માનવીનો આપણા સૌનો આજનો પ્રશ્ર્ન? અને તેનો ઉતર છે એજ સંત સમાગમ માનવોના જીવનમાં અનિવાર્ય છે પવિત્ર પુરૂષનો સંબંધ અત્યંત આવશ્યક છે. કારણકે સંત એવી ભૂમિકામાંબ પુરૂષ છે કે જેના દર્શને પ્રભુના દર્શન થાય, જેની સેવા એ પ્રભુની સેવા થાય જેના સંગે મોક્ષનું દ્રાર ખુલે દરેક સંપ્રદાયમાં સંતોનો મહિમા અપરંપાર ગવાયો છે. કુરાને શરીફમાં પણ અનલહકરૂપ બનેલા પરમ પવિત્ર બનેલા મારફતી પુરૂષનું વર્ણન કર્યું છે અને એમને જ કલ્યાણ દાતા ગણાવ્યા છે. જૈન તત્વજ્ઞાન કર્મવાદ ઉપર આધારિત છે પણ મહાવીર પ્રભુના નવકાર મંત્ર ઓમ હરિહંતાણામ્... જેવા સૂત્રોનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે જેણે પોતાના અંતઃશત્રુનો સ્ત્રી,ધન અને માનની ભયંકર આસુરી વૃતિનો નાશ કરીને પ્રબ્વ્હુનુ સામ્રાજ્ય પોતાના હૈયાના વિશે સ્થાપ્યું છેબ અને સામ્રાજ્યની રસલાળ બીજાને સહેજે આપી શકે તેમ છે એ૪વા સંત પુરૂષોની પ્રણાલી ની સુંદર ભાવના મહાવીર સ્વામીએ મૂકી છે શ્રીમદ રાજચંદ્ર એવી એક સંત પ્રણાલીની સુંદર વાત મૂકી છે. તેઓ કહે છે અવિર્ધા અને અસ્મિતાની આપણી ભ્રાંતિ કોણ ટાળશે? આપણા જાણાપણાનો લય કરાવીને શૂન્યાઅવસ્થામાં લઈ જઈ આપણો સબંધ કોણ કરાવશે રાજચંદ્રે કહ્યું . ભગવાનના દૂત સમાન એક નિર્મળ પુરૂષ જોઇશ જ તેવા પવિત્ર પુરૂષ જે હોય તેમને હું વંદન નમસ્કાર કરૂ છું. આવી જ એક ઇસુ એ સંત પીટરને કરી હતી કે તમારે ખરેખર સુખીયા થવું હોય તો તમે બધા એક થઈને આવો ત્યારે ભગવાનનો દૂત એવો હું તમારા ઓપર કિઋપા કરીશ તો તમારા બુધ્ધિયોગ આવશે અને તમે સુખી થશો આ રહસ્ય દરેક સાસ્ત્રમાં નિહિત છે. સંત તુલસીદાસજી એ રામાયણામાં કહ્યું છે-રામ મિલનકે કારણે તુમ ભયો ઉદાસ, તુલસી સંગત ખોજલે રામ જિહ્નોકે પાસ, કબીર સાહેબ પણ બીજકના પાને પાને શ્રી સદગુરૂ સંતનોશિમા ગાયો છે અને પરમ સંત શ્રી વાળીનાથ નગર વિષે બિરાજમાન છે જેઓ આજે સીતેર વર્ષની સાધના પછી પણ અડીખમ સેવકોના શ્રેયાર્થ ગુરૂ શિષ્ય બંન્નેની પવિત્રતા, નિર્મળતા, સહિષ્ણુતા એવી ને એવી જ છે. પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંત બાપુશ્રી ને ત્રણેક વરસની નાની ઉંમરે શ્રી વાળીનાથ ભગવાનના પવિત્ર ધામમાં મુકવામાં આવેલા અને ત્યારથી તેઓ પૂજ્ય શ્રી એ આજદિન સુધી ભવ્ય પુરૂષાર્થ કરી, માનવીઓ અને આશ્રમને ધન્ય બનાવી દીધા છે. આવા સાચા સંત પુરૂષોનો અચિત્ય મહાત્મ્યવાળી વાતો સાંભળૉ ત્યારેજ ખબર પડે જેણે પરમ પૂજ્ય મહંત બાપુશ્રીના સાનિધ્યમાં બેસી તેમની વાતો સાંભળી હોય તેને પરમ શાંત રસમય, અદભૂત,સત્સંગ, રંગતરંગના અવર્ણનીય આસ્વાદને ખડૉ કરી દઈ અભૂતપૂર્વ આનંદ અને શ્રેયમાં પ્રેરે તેમ છે. તેમની ભાષા સૈલી ખૂબજ સરળ અને સાદગી ભરી છે. એવા અનુભવી આ મહાપુરૂષમાં પ્રગટયોગ બળવાળા વચનો આપણા હ્રદયમાં સચોટ અસર કરી આત્મહીત અને આત્માનંદમાં પ્રેરવા સમર્થ થાય તેમ છે. અનાદિથી નીજ ઘરને ભૂલેલી નિંરંતર પળમાં પરિણમતી ચૈતન્ય પરિણામલક્ષી નિજગૃહ નિવાસ કરી સહજ આત્મા સ્વરૂપમય સાશ્ર્વત સુખ અને શાંતિમય, અદભૂત અનુભવ એવા પોતાના ઐશ્ર્વર્યને પામે તે માટે પ્રબળ અવલંબન જો કોઇ હોય તો તે સદબોધ કે સ્વભાવ પરિણામી આવી જ્ઞાન પુરૂષમાં શાંત સુધા રસમય બોધ વચન અને ઉપદેશજ છે.
અહીં આત્મારામી મુનીવર બળદેવગિરિ પ્રભુશ્રી, કૃપાળુની આજ્ઞા ઉરધરી કરી વ્યક્ત શિવશ્રી ।।
તમે ઉગાર્યા આ દુષમ કરી કાળે જન સહુ, કૃપા સિંધું વંદું સ્વરૂપ અનુભૂતિ સ્થિતિ સહુ, ।।
કૃપાળૂની આજ્ઞા મુજ ઉર વિષે નિશ્ર્વય રહો, ગુરૂજ્ઞાની યોગ ભવજળ તણૉ અંત જટ રહો,।।
સદા સેવી એના વિમલ વચનામૃત રૂતને, સદાનંદ ઘણેશ ભજે સદા આનંદ સ્વરૂપને ।।
અંગુઠે સહુ તીરથ વસતા સંત શિરોમણી રૂપેજી, રણદીપ સમ દિપાવ્યો આશ્રમ આપ અલિપ્ત સ્વરૂપજી।।
સમજી અત્યંત સમાયા સ્વામી કદીયે નહિ છલકાયાજી, અબળા બાળ ગોપાળ બધાને શિરછત્રની છાયાજી ।।
સમજે સર્વે મનમાં એવો તુજ પર પ્રેમ વાળીનાથનોજી, પરમ કૃપાળુ સર્વોપરી છો હું તો સહુંથી નાનોજી ।।
પરમ પ્રેમે મૂર્તિ પ્રભુજીની સહુ સ્વપને ના વિયોગજી, કાળ કરાળ, દયાળ નહિ જરી જડનો શો ઉપયોગજી ।।
ઋતુ પર્વ સૌ વારેવારે આવે યાદી સૌ પ્રભુની આપેજી, આવી પ્રેમ મૂર્તિનું દર્શન ક્યાંથી શોક સગળા જે કાપેજી ।।
પ્રભુના દર્શન સનમૂખ વિનતો, ક્યાંથી ઉમળકો આવેજી, સ્મૃતિ સરોવર નિર્મળ જેનું તેને વિરહ સતાવેજી ।।
ત્રિવિદ તાપથી બળતા જીવો, વચન સુધારસ પીતાજી, સંત સમાગમ દર્શન પામી પારબધ્યે નહિ બીતાજી ।।
સતયુગ સમ કાળ ગયો એ સૌને ઉરમાં સાલેજી, દૂર રહ્યા પણ દયા દૃષ્ટિ ઘણેશદાસજી નિહાળેજી ।।
મન ,વચન, શરીરે પુણ્ય સુધા પ્રકાશે, ત્રિભુવન પણ જેને ઉપકારે વિકાસે ।।
પરગુણ પરમાણુ ગિરિ જેવા ગણી જે, નિજ ઉર વિકસાવે સંત તે કેટલા રે ।।
આત્મસ્વરૂપ સમ્યક પ્રકારે જેણે અનુભવ્યુ છે. સર્વત્ર જેની આત્મદૃષ્ટિ છે તેવા સંત પરમ પૂજ્ય મહંતશ્રીની મન વચન કાયાની પ્રત્યેક ક્રિયા અદભૂત મહાત્મથી આખુ વિશ્ર્વ શોભી રહ્યું છે શત્રુ પણ તેમને મિત્ર સમાન છે અવગુણીને તે અદભૂત પ્રભાવથી ઉતમતામાં પ્રેરે છે અને પ્રત્યેક પ્રાણીને તેઓ પોતાના આત્માનંદત્ર્હી ઉજ્જ્વળ કરી આત્મશક્તિનો વિકાસ કરે છે એવા અનંત ઉપકારી પૂજય બાપુશ્રી ઉમાપુરી ક્ષેત્રના શ્રી વાળીનાથા નગરમાં નિવાસ કરી સદબોધ સંસ્કારોને સમાજને સિંચન કરી રહ્યા છે. એકલી પૂર્વ દિશાઓમાં સૂર્યનો ઉદય થાય છે પરંતુ ચારે દિશાઓ પ્રકાશિત અને પ્રફુલિત થાય છે તેમ વિક્રમ સવંત ૧૯૯૬માં આસો સુદ બારસના શુભ પર્વે શ્રી વાળીનાથજી અખાડાની પવિત્ર ગાદી ઉપર પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બાલ્યવયે બિરાજમાન થાય છે. મહાભાગ્ય અનંત પ્રવાસી મહાપુરૂષના પાવન પગલાથી તરભ ક્ષેત્રેજ નહિ, પરંતુ સમગ્ર ભારભરમાં પરમ કૃપાળુ શ્રી વાળીનાથજીની ભક્તિનો મહિમા અને શ્રી વાળીનાથ ધામની કીર્તિનો ધ્વજ લહેરાવી દીધો છે.
પહેલાનાં સમયમાં કોઇ ગાડીઓની સગવડ નહિવત હતી. એ વખતે ગામો ગામ માલધારી સમાજમાં ઘરે ઘર જઈને પોતાના પરમ ઇષ્ટ દેવો શ્રી વાળીનાથજી શ્રી ચામુંડા માતાજી અને શ્રી ગોગામહારની શક્તિનો મહિમા સમજાવી સર્વ મનુષ્યોને ભક્તિ ભાવ સમજાવી ભક્તિ તરફ પ્રેર્યા, છ છ મહિના સુધી પગે ચાલીને લોકોને ભક્તિનો ઉપદેશ કર્યો. માલધારી સમાજે પણ પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની ભક્તિથી પ્રેરાઇને તેમને ખુબજ ઉમળકાભેર આવકાર્યા. તેઓશ્રીની અસ્મિતા પ્રમાણે સ્વાગત પૂર્વક ગરિમા વધારી,પરમ પૂજ્ય મહંત બાપુશ્રી વહેલી સવારે બ્રહ્મમૂરતમાં ઉઠી નિત્યકર્મથી પરવારી ધ્યાનમગ્ન, ગીતાપાઠ,શાસ્ત્રોક્ત સ્તુતિ પાઠ વગેરે લગભગ દિવસના પ્રથમ પ્રહરની સમાધી સુધી પૂજાસેવામાં તલ્લીન હોય હાલ પણ ગામડે ગામડે જઈ સેવક સમાજને માનવતાના પાઠ સમજાવે અને આશ્રમ ખાતે બિરાજમાન હોય તો ભક્તવૃન્દ અવિરત પણે ચાલુજ હોય, દર્શનથી જે શ્રધ્ધાળુ ભક્તો કે સંતો આવે નાના કે મોટા હોય, ગરીબ કે તવંગર હોય બાળાઓ કે બાળકો હોય સંતો કે મહંતો હોય, સર્વને માટે એકજ સમાન ભાવના નાનામાં માણસન એ પોતપણાના ઉચ્ચ ભાવથી સરળતા પૂર્વક સારા સમાચાર પૂછે, સબંધવાળાની ક્રિયાકે સ્વભાવ જોયા વિના અંતઃકરણ પૂર્વક અહોભાવે નિર્માની પણે સેવા કરે છે એવા સેવાર્થી સાધકો જો દ્રઢતા રાખે તો મોટા પુરૂષની કૃપાથી આ જીવ તત્કાળ સુખી થઈ જાય છે. આજે પાંછઠ વર્ષથી શ્રી વાળીનાથ નગરની પવિત્ર ગાદી ઉપર બિરાજી અવિરત પણે સુદંર સેવા ચલાવતા હોય એવા વિરલ પુરૂષોના આપણે શું ગુણ ગાઇ શકવાના? પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સાથે પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી પણ શિયાળાની હિમવર્ષા જેવી ઠંડીમાં પણ ખેતીનું લાગલગાટ કામ, પશું પાલન, પશુ પક્ષીઓની સેવા દર્શનાર્થે આવતા ભક્તો તેમજ સંત વૃન્દની સેવા પૂજા અર્ચના, અવિરત પણે કોઇપણ પ્રકારના ભેદભાવ રહિત, જેનો પ્રેમ નિસ્વાર્થ છે ચેરાપુજીની હરિયાળી ટેકરીઓ ઉપરથી વનરાજી આનંદમાં માલતી હોય, નાના છોડવાઓ કુમાશ નિર્દોષ ભૂલકાઓની યાદ દેવડાવે તેમ વાતાવરણને નિર્દોષતાથિ ભરી દેતી હોય, જેનું અમૃત દિલ જડચેતન પ્રકૃતિને પણ અસર કરી અમૃતત્વ અર્પણ કરી રહ્યું હોય એવી સાચી જનેતા જેવી સેવા અને નિર્દોષતાની મધુરતા આવા ઉતમ શિષ્ય અને મહાન ગુરૂમાં જણાઇ આવે છે. આવા ચૈત્યન સ્વરૂપો ગમે તેવા અજ્ઞાની જીવોની સહન કરીને પણ સેવા કરે છે મૂળ અજ્ઞાનથી ગેરાયેલા પામર જીવોના પ્રકૃતિ સ્વભાવ દોષ અવળચંડાઇ કે જડતા કશુંજ જોયા વગર તેમને સાથે પ્રેમપૂર્વક વર્તે છે. તેમના પ્રત્યે લાગણીના સૂર વહેડાવે છે. આમ પોતે પરગજુ બનીને અતિ અજ્ઞાની જીવોને વિવેક શીખવાડે છે. સાચુ હેત કરીને સૂઝ આપે છે. જીવનમાત્રનૂ અકારણ ભલુ કરવા માટે દરેક જીવની કક્ષાએ બેસીને તેની સાથે હેતજ કરે છે. એમનું ખમવું અને ગમ ખાવી એનેજ ભક્તિ માને છે સૌના દોષ અને સ્વભાવ પોતાના માથે લે છે. નિષ્ઠાવાળુ પ્રારબધ્ધ પણ માથે લે છે. એતો એજ લક્ષ્ય રાખે છે કે અહો આ જીવને ભગવાનથી વાળીનાથ સાથે સંબધ ક્યાંથી હોય? આમ પોતાના બનાવીને પોતાની રીતે વર્તવાની શક્તિ આપે છે. એક સામાય જીવને સૂર્ય સમાન પ્રકાશિત કરે છે. અણુને હિમાલય સમાન બનાવે છે. એવા ચૈત્યન જનની સમાન શ્રી વાળીણાથ ધામના નિર્મળ સંતનુ મૂલ્ય આપણે શું મૂલવી શકીએ? આવા પવિત્ર સંતો એ સહહ્રદય ભાવનુ સ્વરૂપ ઓળખાવવા ખુબજ પુરૂષાર્થ કર્યો અને અકારણ સૌનુ રૂડુ કર્યુમ્ કાત્યાની જેવી શત્રુતા ધરાવતી રાક્ષસીના આસુરી ભાવને લક્ષ્યમાં લીધા વગર તેનું ભલુ કરે, શ્રી કૃષ્ણ પોતાની દ્રેશીલી માસી પુતનાનું માતા જશોદા જેવુ કલ્યાણ કર્યું. કરૂણાનિધિની કેવી એ દિવ્ય કરૂણા? કેવો એ અસીમ સહ હ્રદયભાવ, આવા આ પરમ કલ્યાણકારી પૂજ્ય ગુરૂ શિષ્યની પાસે રહી એમની સેવા અને શહિષ્ણુતાનો અભ્યાસ કરી ધન્ય બની જવાય. જીવનમાં ઘણૂ ઘનુ ખમવા છતાંય અવિરત પણે મીઠાસ આપેજ જાય. શ્રી વાળીનાથની પવિત્ર ધરતી ઉપર તનતોડ પરિશ્રમ કરી નિરપેક્ષ સેવાનો ઉતમ દાખલો આપ્યો છે. ભગવાનને રાજી કેમ કરવા? એજ એમના જીવનનું લક્ષ્ય બની ગયું છે. પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીનો પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી પ્રત્યેનો પ્રેમ, મમત્વ,દિવ્યભાવ અને મીઠાસ અવિરત અને અખંડ છે. અને કદી ઓછાં પણ થયાં નથી આવી એક પ્રેમની સરવાણી એમના રૂવાડૅ રૂવાડે વહ્યા કરે છે. ભગવાન શ્રી વાળીનાથની શુધ્ધ ઉપાસના ઓળખાવવા અને પ્રવર્તવા માટે પૂજ્ય મહંત બાપુસ્શ્રી અને પૂજ્ય કોઠારી બાપુશ્રીએ ધીરજનો અંત આવી જાય એટલો પુરૂષાર્થ કર્યો છે. શ્રી વાળીનાથજીની કચેરીમાં સભામંડપમાં પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બિરાજમાન હોય ત્યારે જેમ સાકરના ટુકડા પાસે વગર આમંત્રણે કીડીઓ ભેગી થઈ જાય છે તેમ પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને કોઠારી બાપુશ્રીની આસપાસ ભક્તો અને સંતો ભેગા થઈને એમના સત્સંગની મીઠાસ માણતા હોય છે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને પૂજ્ય કોઠારી બાપુશ્રીનાં જેને દર્શન કર્યા હશે તે સૌએ દિવ્ય દર્શનનાં અમૂલ્ય અનુભવને કોઇકાળે વિસારી શકશે નહિ. પૂજ્ય મહંત બાપુશ્રીની સરળતા એમનામાં રહેલી રૂજુતા અંતરમનની મૃદુતા, તદ્દન વિનમ્રતા, અસલી માતૃત્વની ઝલક અત્યારે સતત વર્તાઇ આવે છે. હજારો મુમુક્ષોની સુખી કરવા કંઇક સહન કરવૂ પડે છે. તો સેવક મુમુક્ષોના હ્રયમાં સંતોનુ કાયમ સ્થાન થઈ જાય છે. આ મહાન સંતોનુ સ્થાન જો આપણા હ્રદયમાં થઈ જાય તો બેડૉ પાર થઈ જાય. જીવમાં એમના જેવું ખમવાનું બળ આવે બીજાનું જોવાનું કે બીજાની પાસે કોઇ અપેક્ષા રાખવાની વૃતિ કાયમ માટે વિસારે પડી જાય, બાવાના ચંદનની માફક પોતે બળીને પોતાના સબંધમાં આવનાર ને સુવાસ આપ્યા કરે એવા એકધારા પ્રસંગોની હારમાળા અખંડિત આધ્યાત્મિક ઇતિહાસના પાને પાને જોવા મળશે. ગુરૂશ્રીમાં જેમ તપ,જ્ઞાન,યોગ અને બ્રહ્મ તેજની અપેક્ષા હોય છે. બ્રહ્મવેતા બ્રહ્મત્વની દિવ્ય પ્રકાશની પરિકલ્પના કરાય છે. તેમ શિષ્ય માટે પણ કેટલીક શરતો કે યોગ્યતાની અપેક્ષા હોય છે. આ વિશ્ર્વ સદાય સદગુરૂઓ અને શિષ્યોથી પરિપૂર્ણ છે. તેમાંથી યોગ્યતમ અને યોગ્યતર સતપાત્રોની શોધ ગુરૂ અને શિષ્ય એમ બંન્ને માટે હિતકર છે. માનવ સમાજ અને વિશ્ર્વ માટે તે કલ્યાણપ્રદ છે. સદગુરૂશ્રી સતચરિત્રવાન બ્રહ્મજ્ઞાની હોય અને આત્મસાક્ષાત્કારી હોય તો તે આપણા સર્વસ્વ સર્વોપરી થવાને શ્રેષ્ઠ વિભૂતિ છે. તે ઇશ્ર્વરીય વરદાન છે. આવા ઉદાર સદગુણ સંપન્ન ગુરૂદેવ માટે શિષ્ય પણ પરમ પૂજ્ય કોટારી બાપુશ્રી ગોવિંદગિરિજિ સમાન જોઇએ, જેવો તેવો ન ચાલે આવા મહાન ગુઇરૂશ્રીના ચરણમાં જઈને શિષ્ય કટપૂતલી બની શકે? શ્યામની પોલી વાંસળી બની શકે? એવો શિષ્ય હોય તો શ્રેયકર છે. બુધ્ધિમાન શિષ્ય શિષ્યત્વ ગ્રહણ કરતી વખ્તેજ પોતાના અહંકારને છોડી દે બ્રહ્મચર્ય વ્રતભાવ ધારણ કરે અને ગુરૂસેવા અને ગુરૂઆજ્ઞાનું પોતાનું જીવન વ્રત બનાવીને જીવે શ્રી ગુરૂ ચરણોમાં આત્મસમર્પણ શિષ્યનું સર્વોપરી સુલક્ષણ છે. શિષ્યત્વની પરાકાષ્ઠા છે શ્રી ગુરૂઆજ્ઞા પાલન શિષ્ય જીવનની મહતા છે. સાધના છે. શ્રી ગુરુદર્શનની નિત્ય ઉત્કૃષ્ઠ કામના અને સેવા વૃતિ શિષ્યના મમુક્ષત્વને નિશાને છે. સંયમ,ધ્યાન,ભક્તિ,સેવા અને આજ્ઞા પાલનની સીડીઓ ચડીને શિષ્ય સદગુરૂનું સાનિધ્ય પ્રાપ્ત કરી, શ્રી ગુરૂના સંપર્કમાં રહેવાને સમર્થ બને છે સદગુરૂના માર્ગદર્શનમાં શાસ્ત્રોનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ સાચા શિષ્યનું સત્ય કર્તવ્ય છે શ્રી ગુરૂદેવ સાક્ષાત પરબ્રહ્મ છે એવી દ્રઢ ભાવના સાથે શ્રી ગુરૂદર્શન અને ગુરૂશ્રીનોસત્સંગનો સુયોગ શિષ્યના આધ્યાત્મિક વિકાસમાં સહાયભૂત બને છે.
ગુરૂશિષ્યની આત્મસાક્ષાત્કારની કળા શીખવે છે અહંમ બ્રહ્માસ્મની આધ્યાત્મિક ભ્જૂમિકા સુધી પહોચાડે છે. તેને નિરંતર ચિતરંજન શાંતિ અને મોક્ષનો અધિકારી બનાવે છે. આ કોઇ સામાન્ય ચમત્કાર નથી. એનું મૂલ્ય કોઇ ઓંકી શકતું નથી આ ગુરૂઋણનો બદલો વાળવો અશ્ક્ય છે. મહા સમર્થ શિષ્ય પણ પોતાના ગુરૂને જે જોઇએ તે આપ્યું છે તેના બદલામાં શું આપી શકે? ગુરૂપણ શિષ્ય પાસેથી કંઇ અપેક્ષા નથી રાખતા. આ તો શિષ્યની કૃતયતાનો પોકાર છે. શિષ્યના સદધર્નમની માગણી છે કે એ ગુરૂશ્રીની આ મૂલ્યવાન દિવ્ય સંપતિને સંપૂર્ણપણે સાચવે શિષ્યનું કર્તવ્ય છે કે એ સંપૂર્ણ કૃતજ્ઞતાથી નતમસ્તક રહે, ભૂલે ચૂકે પણ કૃતજ્ઞ બનીને મહાપાપનો ભાગી ના બને. શિષ્યની વિનમ્રતાને લીધે જ ગુરૂશ્રીની કૃપા વરસે છે આર્શીવચનો તથા વરદાનોથી તેના જીવનમાં ખાલીપણાને ભરીદે છે. શિષ્યનુ કર્તવ્ય છે કે એ ગુરૂનો આજ્ઞાંકિત બને ગુરૂદેવ દ્રારા પ્રયોગમાં લાવેલા ઉપચારો જો પ્રતિકૂળ લાગતા હોય તો પણ ધૌર્ય ધારણ કરે. શ્રધ્ધાને કદી ઓછી ના થવાદે આગળ જતાં એજ ઉપચારો એને અનુકૂળ અને પ્રગતિશીલ લાગવા મંડશે શ્રધ્ધાથી દુર્લભ જ્ઞાન સહજમાં શીખી શકાય છે. માટે પૂર્ણ શ્રધ્ધાભાવથી ઇશ્ર્વર સ્વરૂપ ગુરૂદેવની સેવામાં પ્રવૃત રહેવું એ શિષ્યનું પાવન કર્તવ્ય છે. ગુરૂસેવા અને ગુરૂભક્તિના પરિણામ સ્વરૂપે આત્મસાક્ષાત્કાર આત્મજ્ઞાનની પરમ કક્ષા પ્રાપ્ત થાય છે. આત્મસાક્ષાત્કારની પરિપૂર્ણ અવસ્થામાં શિષ્ય માટે સત્યનુ રહસ્યોદધ્યાન સહેજે થઈ જાય છે. શિષ્યના કર્તવ્ય બોધ પર મનુસ્મૃતિએ જણાવ્યું છે કે શિષ્ય હંમેશા વેદાધ્યાનમાં નિમગ્ન રહે, પરમ શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વકની ગુરૂસેવા દરમ્યાન શિષ્યે માંસ મદીરા સ્વાદિષ્ટ વ્યજંનો કામ, ક્રોધ,લોભ,નૃત્ય,ગાયન,ક્રિડા,વાજીત્રો વગાડવાં, ગપ્પો મારવાં, કુથલી કરવી અને અતિશય ઉંઘવાથી અલિત્પ રહેવું જોઇએ. આ પ્રમાણે બતાવેલા સત્ય કર્તવ્યોના પરિપાલન દ્રારા શિષ્ય સદગુરૂના માર્ગદર્શનમાં પોતાનું ચરિત્ર્ય નવનિર્માણ કરવું જોઇએ. પોતાની માન્યતાઓ અને અપૂર્ણ અલ્પ જ્ઞાન પ્રત્યે શિષ્યની આધ્યાત્મિક નિષ્ઠા એને દુરાગ્રહી બનાવી દે છે. માટે સદગુરૂએજ શિષ્યત્વને પ્રદાન કરે છે જે અહંકાર રહિત હોય આવો શિષ્ય પોતાની ધારણાઓ અને માન્ત્યતાઓ ઉપર ઠુકરાઘાત થતો જોઇને કદી પણ ઉતેજિત થતો નથી. નવાગત શિષ્ય પોતાના સ્વભાવિક આચરણના પ્રવાહમાં કદીક પરમ જ્ઞાની ગુરૂશ્રીની સમક્ષ જિદ કરી બેસે છે. પોતાની પુરાતન ભાવનાઓ છોડવામાં તેને કષ્ટ થાય છે તેથી દુરાગ્રહી થઈ જાય છે. તેને ખબર નથી હોતિકે જે શિષ્ય ગુરૂશ્રીને આજ્ઞાંકિત ના હોય, એમના પ્રત્યે નિષ્ઠાવાન અને પ્રમાણિક ના હોય એ શિષ્યને કોઇપણ ગુરૂ ભવ પાર કરાવી શકે નહિ. ગુરૂ શિષ્યનું કલ્યાણ ત્યારેજ કરી શકે છે જ્યારે શિષ્ય સ્વયં પોતાનું કલ્યાણ ઇરછતો હોય તેવી સાધના અને પ્રયત્ન્ન કરતો હોય, બોરડીનું વૃક્ષ વાવનારને એવૃક્ષ ઉપરથી મીઠી કેરી કેવી રીતે મળે શિષ્યનો દુરાગ્રહ આવો કંઇક ફળ આપનારો છે. ગુરૂની પાસે એ જાય છે તો આત્મકલ્યાણના ઉપદેશથી પણ દુરાગ્રહથી સ્વયં સ્વનિર્મિત અજ્ઞાનના કાદવમાં ફસાતો જાય છે આવો શિષ્ય આધ્યાત્મિક માર્ગે આગેકુચ કરવાને બદલે દયનીય દશામાં જીવન વ્યતિત કરવાને વિવસ થઈ જાય છે દુરાગ્રહી શિષ્ય જો સાચા અર્થોમાં પોતાનો આત્મવિકાસ સાધવા માગે તો તેને ઓછામાં ઓછું તેના પોતાના ગુરૂશ્રી આગળનો નિખાલસ જ થવુજ પડશે, પ્રમાણિક બનવું પડશે. પોતાના અહંમ અનેમાન્યતાઓને તિંલાજલિ આપી નિંસંકોચ ભાવે પોતાના શ્રધ્ધાસ્પદ ગુરૂશ્રીને આત્મસમર્પણ કરીને સાધનામાં ભાગી જવું નહિ તો આવી સોનેરી તક તેને ભાગ્યેજ પાછી મળે છે.

ગુરૂદ્રોહ એક અભિશાપ



જે શિષ્ શિષ્યની મર્યાદાઓ અને ચરિત્ર્યથી અજાણ હોય છે. અહંકારથી પરિપૂર્ણ હોય છે. ગુરૂ વચનોની ઉપેક્ષા કરે છે. તેને જીવનમાં ઘણાં બધાં કષ્ટો સહેવાં પડે છે. ઘણું બધુ ખમવું પડે છે. ગુરૂભક્તિ માર્ગથી જે વિચલિત થાય છે તેને મૃત્યું અને અજ્ઞાન અંધકારમાં વારંવાર ભટકવું પડે છે. સદગુરૂશ્રીની હયાતિમાં જો કોઇ શિષ્ય સ્વાર્થ વશ એમનું ગુરૂપદ કે ગુરૂગાદી પચાવી પાડવા દાવ પેચ કરતો હોય અથવા એવી ભાવના મનમાં લાવતો હોય તો તેને શૈશવ નરકનો ભોગી બનવું પડે છે. ગુરૂ અને ઇશ્ર્વર એક રૂપ છે. ગુરૂબ્રહ્મા ગુરૂ વિષ્ણું ગુરૂ દેવો મહેશ્ર્વરમ । ગુરૂ સાક્ષાત પર બ્રહ્મ તસ્મયૈ શ્રી ગુરૂ વે નમઃ ।। માટે ગુરૂના પ્રત્યેનો દ્રોહ એ ઇશ્ર્વર દ્રોહ છે. સાંસરીક રાજ વ્યવહારમાં પણ દ્રોહ વિદ્રોહ દેશદ્રોહ કઠોરથી કઠોર સજાને દંડને પાત્ર બને છે. માટે શિષ્યે ગુરૂ દ્રોહના મહા પાપથી બચવા સહાયે જાગૃત અને પ્રયત્નશીલ રહેવું જોઇએ.
શિષ્યોની પણ એમના આચાર, વિચાર,લગની,શ્રધ્ધા અને સાધના પ્રત્યે રૂચિ,સેવા અને બુધ્ધિના આધારે નિમનાનુસાર શ્રેણીઓ હોય છે.
(૧) ઉતમ શિષ્યઃ- આવો શિષ્ય પેટ્રોલ જેવી પ્રકૃતિનો હોય છે જે ખુબ દૂરથી તણખાને પકડે છે તે રીતે જ તરતજ ગુરૂશ્રીના ઉપદેશને પકદી લે છે.
(૨) મધ્યમ શિષ્યઃ- આવો શિષ્ય કપૂરની પ્રકૃતિ ધરાવે છે. ગુરૂશ્રીના સ્ર્પશ માત્રથી તેનો અંતર આત્મા જાગૃત થાય છે. અને તેમના આધ્યાત્મિકતાની જ્યોતિ પ્રજલિત કરે છે.
(૩) સામાન્ય શિષ્યઃ- આવો શિષ્ય કોલસાની પ્રકૃતિ જેવો હોય છે. તેના અંતર આત્માને જાગૃત કરવામાં ગુરૂદેવશ્રીને પરિશ્રમ કરવો પડે છે.
(૪) કનિષ્ઠ શિષ્યઃ- આવો શિષ્ય કેળના થડ જેવો છે. એટલેકે ઠંડો ગાર હોય છે. તેને પ્રજલિત કરવાના કોઇપણ પ્રયત્ન કામ લાગતા નથી ગુરૂશ્રી ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ તે ઠંડો અને નિષ્ક્રિય રહે છે. માટે વ્હાલા સજ્જનો આપણે પણ તેજસ્વી એવા પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જેવા પેટ્રોલની પ્રકૃતિ ધરાવતા શિષ્ય બનવાના પ્રયત્ કરીએ, શિષ્ય શ્રધ્ધવાન અને નિષ્ઠાવાન હોવો જોઇએ અર્થાત ગુરૂશ્રીના આચાર વિચાર કાર્ય પ્રણાલીની કોઇપણ સંજોગોમાં ટીકા ટિપ્પણી કરવી ના જોઇએ.બીજાઓને ખોટી સલાહ આપવી જોઇએ નહિ શિષ્યની કોઇપણ વાતથી કે વ્યવહારથી ગુરૂની ભાવનાને ઠોકર લાગવી ના જોઇએ.જાણે અજાણે મન,વચન,કર્મથી પોતાને શુધ્ધ રાખવો જોઇએ, શિષ્યને મિતવયી બનવું જોઇએ. જરૂરિયાતો ઓછી કરીને જે પણ દવ્ય એકઠું થાય તેને ગુરૂ ચરણોમાં ભક્તિભાવ પૂર્વક સમર્પિત કરવું જોઇએ. આ ગુરૂભક્તિની સાચી કસોટી મનાય છે. ગુરૂદેવની સેવા દરમ્યાન કદી પણ દુન્યવી વસ્તુઓની યાચના ના કરવી. માગવું જરૂરી થઈ પડે તો એમની કૃપા દ્રષ્ટિજ માગવી જોઇએ. આવી વર્ણતુકથી ગુરૂ પ્રત્યે અત્યધિક ભક્તિભાવ અને શ્રધ્ધા જાગે છે. હોંશિયાર વૈદ જેમ નાડી દબાવવાની સાથેજ રોગનું નિદાન કરે છે હોંશિયાર માતા પારણામાં જ પુત્રનો લશણ જોઇને જેમ એનું ભાવી સમજી જાય છે તેમજ સદગુરૂ શિષ્યના વ્યવહારથી એનો સ્વભાવશીલ તથા મનની ગતિ,મતિને જાણી લે છે. માટે શિષ્યને ગુરૂની સાથે સંપત વ્યવહારસ કરતી વખ્તે નિષ્કપટ,નિર્દોષ અને પ્રેમાળ વર્તાવ કરવો જોઇએ શિષ્યમાં જ્યારે ઘાતનાકણો સમાન વિનમ્રતા આવે છે ત્યારે જ જ ગુરૂકૃપા તેના ઉપર ઉતરે છે કબીર સાહેબ કહેછે કે દાસ કહાવત કઠીન હે, મે દાસન કે દાસ, દાસ ઉ કીજીએ જ્યું પાઉ તલે કી ધાર, આરસુ શિષ્યને ગુરૂકૃપા દુર્લભ છે માટે શિષ્યે સદાય આળસને ત્યજવી જોઇએ નિર્ધન બિમાર અને નિસહાયની સેવા, મા બાપ અને સદગુરૂની સેવા, દયા તથા આત્મદાન આ બધા સદગુણો માનવતાના અલંકારરૂપ ગણાવ્યા છે. એમને ભક્ત ગુણો જ નહિ પણ મહાપુણ્ય ગણાય આવી સેવા દ્રારા પુણ્ય અને ગુરૂકૃપા પ્રાપ્ત કરવા શિષ્યે સદૈવ સજાઘ રહેવું જોઇએ.જ્ઞાની ગુરૂના મારગદર્શનમાં આધ્યાત્મિકતાનો અભ્યાસ વધારતા જવું. અભ્યાસ માર્ગ પર ચાલવું તો જ પડશે જ પોતાની આધ્યાત્મિક ગતિની જાણકારી માટે સતત ધાય રાખવું પડે છે.
પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સતત પ્રવૃતિશીલ રહે છે કમરામાં બેઠા હોય છે પોતાના આસન પર બેસા હોય અગરતો ગાડીમાં બેઠા હોય સવારથી પૂજ્ય બાપુશ્રી સતત સદ્ફગુરૂની અને પરમાત્મા સાથે એકજ દોર બંધાયેલો જ રાખે છે. કોઇ આધ્યાત્મિક ભાવના સભળ ભજન ગાતા હોય તો તેઓશ્રીનાં રૂવાટાં પુલકિત થઈ આંખમાં હર્ષાશ્રુ વહેવા લાગે છે. આટલી જબરજસ્ત કોમલતા કોઇક વિરલ સંતમાં જોવા મળે છે. ધન્ય હો આવા ઉમાક્ષેત્રમાં ભગવાન વાળીનાથજી નગરસ્માં બિરાજમાન પરમ વંદનિય પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીને.
-ઃ ભજન ઃ-
( રાગ- મુખડાની માયા લાગી રે મોહન પ્યારા )
બ - બધા દિલના દોષ જોશે રે ........ સંતોના સંગે ...........
ળ - બળ રૂડ સચવાશે રે .............. સંતોના સંગે ...........
દે - દેજે તુ દાન રૂડાં ફેરો, તારો ફાવી જશે.
વ - વખત તારો સિધ્ધ થાશે રે ......... સંતોના સંગે ..........
ગ - ગરજ રાખો તો પ્રિત જાગે, લગની જ્યાં દિલમાં લાગે.
ર - રહે રામ રૂદિયા માંહી રે ........... સંતોના સંગે ............
જી - જીવન કેરી કળી ખીલી જ્યારે ગુરૂ શરણે જાવે...... સંતોના સંગે ......
બા - બાજી તારા હાથ આવે રે ......... સંતોના સંગે .............
પુ - પુરણ પ્રેમે જાગો સહું , વાળીનાથ નગરમાં જાઓ.
નો - નાંખી દેજો જંજાળ જબરી રે ........ સંતોના સંગે ..........
મ - મનડુ તારૂ શુધ્ધ થાશે, ગુરૂ મહિમા સમજાઇ જાશે.
હિ - હિરદે રૂડુ હેત જાગે રે ............ સંતોના સંગે .............
મા - માને તેને કહીએ વાતું, બળદેવગિરિજીના શરણે જાતુ.
છે. - છે બધી ભારેલી વાતું રે.......... સંતોના સંગે ...........

પૂજ્ય શ્રી ગોવિંદગિરિજી મહારાજની ગુરૂભક્તિ



ચૈતન્ય શિષ્ય એજ આંસુ લૂછયા કરે બસ પ્રેમ પ્રેમથી ખમ્યા કરે... શ્રી વાળીનાથ નગરમાં તે પુણ્ય ભૂમિમાં અનેક સંતો મહંતોએ પોતાનો પુરૂષાર્થ બહુજ કર્યો પ પહેલાના સમયમાં બહું સુવિધાના હોવાના કારણે સંતો બહુંજ મજૂરી કરીને થાકી જાય, માનવી રાજા મહારાજાઓના તાબામાં સપડાયેલા હોય ભણતર ગણતર વિનાનો બસ સવારથી સાંજ સુધી લગાતાર મજૂરી જીવ પ્રાણી માત્રની સંકલ્પ શક્તિ, ઇરછા શક્તિ ,ક્રિયા શક્તિ બહું જ ઓછી હોય અને એવા કપરા કાળમાં શ્રી વાળીનાથ નગરનું બીજ બહું સાદા સરળ પરંતુ મહાતપસ્વી, મહાતેજસ્વી, મહાપ્રતાપી પ્રમ પૂજ્ય ગુરૂદેવ શ્રી વિરમગિરિજી બાપુશ્રીએ વાવેલું, પરંતુ તે બીજને તપ સેવારૂપી પાણી ના મળે તો બીજ બળી જાય પણ સત્ય પ્રવૃતિથી રોપેલા બીજને કોઇ ઉછેરવા માટે તપ સેવાના જળ સીંચના સત્યવાન મહપુરૂષોને બ્રહ્મદેવ મોકલીપણ આપે છે અને પરમાત્માએ મોક્લ્યા પણ કેવા મહાપુરૂષોને? જગતમાં જોટો જડવો મુષ્કેલ થઈ પડે વ્હાલાના વ્હાલા લાગે સહું રે.. સદગુરૂના વ્હાલા વ્હાલા કરો કહું રે... આપણને જે વ્હાલા હોય તેનું બધુજ ગમશે, તેની સાથેતો હેત રહેવાનું જ્યારે અહીં એક નિરાળી વાત મૂકી છે શ્રી વાળીનાથ પરિવારની ભૂલેછૂકેપણ શ્રી વાળીનાથ ભગવાનનું નામ લેનાર હોય તેવા સેવકને પણ પોતાના સગા વ્હાલા જેવો જાણવો આપણે શ્રી વાળીનાથ પરિવાર અને તેનો સભ્ય આપણો કુંટુંબનો સમય આપશે સગોજ સમજવો પોતાનો જાણવો અંગત સગા વ્હાલાનું આપણે બહાર ખરાબ કેવી રીતે બોલીશું? સંત શ્રી તુલસીદાસજીએ કહ્યું છે તુલસી જાકે મુખન સે ભૂલ સે નીકલે રામ તાકે પગકી પહનીયા મેરે તનકી ચામ, અમે તો સંતોના અભિપ્રાય પ્રમાણે એમ કહીએ કે અહો શ્રી વાળીનાથ ભગવાનના ટકોરા જે કોઇ સાંભળશે તેનું પણ કલ્યાણ થઈ જશે. શ્રી વાળીનાથ ભગવાનની ઓસળિનાં પગથિયાં ચડીને જે ઉપર આવે તેને અમારી શોભા ઘણીશું એવા જ આ સંતો મહંતોની જાણ્યું હશે ને? ત્યારે જ આપવિત્ર ભૂમિને આ ભવ્ય ઉજજવળતાને પ્રાપ્ત થઈ હશે ને? તમે વિચારોકે આવી વૃતિ કેળવવા માટે શું દામ લાગે? કેટલો ભવ્ય પુરૂષાર્થ જોઇએ, વ્યાપક સ્વરૂપમાંજ પણ જે વાળિનાથજીના દર્શન કરતો રહે તેને સાચો શિષ્ય સેવક ગણાય આ એક સનાતન સિધ્ધાંત છે. પણ અહીં તો મહાપુરૂષોએ એવી પ્રણાલિકા બનાવી કે મેલાં કપડાંવાળૉ હોય કે ઉજળાં કપડાંવાળો હોય ભણેલો કે અભણ હોય ગરીબ હોય કે તવંગર હોય સૌના માટે સરખો ભાવ તારીજ લીલા સર્વત્ર દેખાય છે. સર્વમાં એક તું શ્રી હરિ, શ્રી વાળીનાથ ભગવાન સિવાય એક સૂકૂ પાંદડું પણ ફરકી ના શકે, તેવી જ રીતે વ્યાપક પરમાત્માને જોવાની આ વાત છે. પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી એમની સેવામાં પછાસ વર્ષના ઇતિહાસમાં મન મૂકી પ્રમાણે વર્ત્યા નથી સદાય મહાપુરૂષોના વચન પ્રમાણે જ વર્તન કર્યું છે. તેઓશ્રી ઉતમ કોટીની સેવા દ્રારા શ્રી વાળીનાથ સંસ્થા આગવી રીતે વિકસાવી રહ્યા છે તેમની ઉમદા સૂઝ વ્યવહારૂ બુધ્ધિ પ્રતિભા,શ્રેષ્ઠ કાર્ય પ્રણાલિકા,ચીવટ અને દરેક ભક્ત સેવકો સાથે પ્રેમ ભર્યો વ્યવ્હાર નિસ્વાર્થપણે સમાનતા પૂર્વક વર્તન, વ્યક્તિ પરખ અને નિસ્વાર્થ ભાવના જેવા ઉતમ આદર્શ ગુણોથી શ્રી વાળીનાથ ધામની શોભા સમાન પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીનો ઉતમ અને નિસ્વાર્થ વહીવટથી વાળિનાથ અખાડાને આગવી ઓળખ અપાવે છે.
દેશને આજની દુર્શાનું કારણ એછે કે આજે સ્વાર્થ વૃતિ બેકાબૂ બની ગઈ છે અને એમાંથી જન્મેલી સતાની સાઠમારીઓ હદ વટાવી ગઈ છે અને સ્વાર્થી સતાધારી દ્રારા ભષ્ટ્રાચાર બેકાબૂ બન્યો છે. અત્યારે સૌ સમાજની અને તેના ઉધાની સેવા કરવાની વાતો કરી રહ્યા છે પરંતું સમાજ સાથે એના દુઃખ દર્દો સંતાપો સાથે સાચી સંવેદના કોણ અનુભવે છે ખરા? નરી આંખે જોતાંસ્પષ્ટ એવું જણાય છે નર્યો સ્વાર્થ છે,દંભ છે માણસ અત્યારે સ્વકેન્દ્રીત બની રહ્યો છે અને જ્યાં સુધી સંત વચન કેન્દ્રીત નહિ બને ત્યાં સુધી આજની વિષમ પરિસ્થિતિ ઉકલી નહિ શકે. જેને જેને સદગુરૂ અને સંતોને સર્વસ્વ માન્યા છે એમણે જ ભવ્ય ઉજ્જવળતા પ્રાપ્ત કરી છે આ પવિત્ર ભારત માતાની ગોદમાં મહામૂલ્યવાન રત્નો ઘણા આવે છે. પણ આપણો અહંમ તેનાથી પરત થવા દેતો નથી અને એવા મહાન સંતોને આપણે માન્ય રાખી શકતા નથી. એના કારણો જાણી તે અંગે વિચારવું પડશે અને આપણે સ્થિતિ જોઇશું આપણા હિતમાં છે તે જાણવું પડશે. (૧) મહાન સંતો જે સમાજની ચિંતા કત્રવા વાળ છે જેમણે ધર્મના રક્ષનાર્થે ત્યાગને મહત્વ આપ્યું છે સ્વાર્થ ચૉડી સમગ્ર જગતના જીવો સાથે એકતાની ભાવના દ્રઢ કરી છે એવા સંતો ઉપર આપણો કૃતજ્ઞતાપૂર્વકનો સમર્પણનો ભાવ નથી, સમર્પણનો સાચો ભાવ જાગૃત કરવો પડશે.(૨) બધી વ્યક્તિઓ મને એકલાને જ ઓળખે અને મને જ ઉપયોગી થઈ શકે આ સંકુચિત મનોવૃતિનો ભાવ બદલવો પડશે (૩) પરસ્પર ભાવનો અભાવ (તૂટો) જણાય છે ભગવાન મહાવીરની પરંપરામાં એક ઉમાસ્વાતીજી થઈ ગયા. તેમને ઘણા અદભૂત ગ્રંથ રત્નોની રચના કરી છે તેમાં એક તત્વાર્થ સૂત્ર નામના ગ્રંથમાં એક સ્ત્રોત્ર છે. " પરસ્પરોપ ગૃહો જીવનનામ " એકબીજાને ઉપયોગી થવું એ જીવ માત્રનું લક્ષણ છે જીવનો મૂલ સ્વભાવ છે. પોતાના સુખનો વિચાર કરવો. એ જીવનો ખરેખર સાચો સ્વભાવ ના હોવો જોઇએ. પરસ્પર એકબીજાને ઉપયોગી થવું તે જીવનું શ્રેયકાર્ય લક્ષણ હોવું જોઇએ. હું તમને ઉપયોગી થાઉ અને તમે મને ઉઓપયોગી થાઓ આવા એકબીજાના ઉપયોગો દ્રારાજ આ વિશ્ર્વનું તંત્ર ચાલી રહ્યું છે. કોઇ માણસ એમ માને કે હું મારા પોતાના બળ ઉપર આગળ વધી રહ્યો છું હું મારી હોશિયારીના કારણેજ હું મારા વ્યક્તિવ્યનો વિકાસ કરી રહ્યો છું તો આ એક ભૂલ ભરેલી ભ્રમણા છે. આ તેનો અહંમ છે. આત્મછલના છે. વાસ્વિક હકીકત તો એ છે કે આપણે કંઇપણ છીએ આપણા અસ્તિત્વની કે વ્યક્તિત્વનો જે કંઇ વિકાસ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ તેની પાછળ પ્રગટ કે ગુપ્ત ઘણા વ્યક્તિઓના યોગદાન પડેલા હોય છે. અનેકનો ઉપકાર રહેલો છે. અનેકનુંૃ ણ આપણા માથે ચડેલું છે રાજસ્થાનમાં રણુંજા ખાતે શ્રી વાળીનાથજી રબારી ધર્મશાળાનું પરમ પૂજ્ય કોઠારી સ્વાન્મીશ્રી ગોવિંદગિરિજી મહારાજ દ્રારા નિર્માણ થયું છે. આયોજનબધ્ધ ભવ્ય નિર્માણ, ભક્તો,સેવકો,યાત્રાળૂઓ માટે સુખદાયી, સગવડથી પરિપૂર્ણ અને આનંદ આપનારૂ હતું આથી પ્રભાવિત બનીને યાત્રાળુ ભક્તો સેવકો પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના મુક્ત કંઠે વખાણ કરતા ત્યારે સરળ સ્વભાવવાળા કર્તવ્યનિષ્ઠ એવા પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામીશ્રી ભક્તોને પ્રત્યુતર આપતાં કહેતાં કે આ તો પરમ કૃપાળુ શ્રી વાળીનાથની કૃપા અને ગુરૂમાશયની ભક્તિનો પ્રતાપ છે અને શ્રી ગુરૂભક્તિ ભગવદ કૃપા પછી ભક્તોની શ્રધ્ધાએ આ વિરાટ કામ કર્યું છે અને મારા ઉપર એમની જ આદયા દ્રષ્ટિ હશે ત્યારેજ મને નિમિત બનાવ્યો હશે, કેટલી વિશાળ નિર્મળતા પોતે કશું નથી કરતા એવી સરળ રજૂઆત કોઇપણ પ્રકારના અહંમ કે આડાંબરનું નિશાન ન મળે જંગલમાં મંગળ કરનાર મહાપૂરૂશ કેટલો વિવેક છે રાજસ્તાનના વિરાન પ્રદેશનું શ્રી રામદેવપીરનું યાત્રાધામ એવું રણુજા એટલે રણકદેશ જોઇલો આવા પ્રદેશની ભૂમિ ઉપર રાત અને દિવસ પડ્યા રહીને ભવ્ય રાજધાની સમાન દિવ્ય સ્વરૂપનુ સર્જન કરવું અને તે સમાજના ભ્ક્તો સેવકોની સગવડ વ્યવ્સ્થા માટે અગિયાર દિવસના ભવ્ય મેળા પહેલાં પાંચ દિવસ અગાઉથી આવનાર યાત્રાળૂની જમવા રહેવાની સુખ સગવડ માટે પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી વાળીનાથ (ગુજરાત) થી લાંબો પંથ કાપી સ્વયં સેવકોની ટુકડી સાથે રણુજા શ્રી વાળીનાથજીની ધર્મશાળામાં હાજર જ હોય વરસમાં બે ત્રણવાર જઈને રૂડી દેખરેખ રાખે ધન્ય છે આવા મહાપુરૂષોને કે વૈદિક પરંપરાની સંપૂર્ણ જાણવળી માટે કેટલો દિવ્ય પુરૂષાર્થ કરી રહ્યા છે. આવું તો સમગ્ર ભારતમાં ઘણા ઠેકાણે જંગલમાં મંગલ સર્જન થયેલું જોવા મળે છે. પરંતુ આપણો અહંમ આવા સર્જને સ્વીકારવા તૈયાર નથી, કારણ પંથા પંથીનો રોગ સંતો એકરૂપતાની ઔષધિઓ આપે તો પણ આ મહારોગ તેનો હટાગ્રહ છોડતો નથી અને અંતે આ દેહ છોડીને આત્મા ચાલ્યો જાય છે.ત્યારે આ શરીર જેમાં અહંમ હતો તેની પાસે પણ કોઇ ફરકતૂ નથી તેને વહેલાસર સ્મશાનમાં મોકલીને અંતિમક્રિયાની ઉતાવળ કરતો માનવી પોતાનું કંઇપણવિચારતો નથી. શ્રી કબીર સાહેબ કહે છે આ ગંદી દેહકા કોઇ ભરોસા નાહિ આજે દિઠા બજાર મે કાલ મશાણામાંહી તેથી જટ કરોને દેહથી બને તો દેહથી, માનવી બને તો મનથી, ધનથી બને તો ધનથી, સંત મહાપુરૂષોના વચન પ્રમાણેની સેવાનો લાભ લઈ લો હજી બાજી હાથમાં છે સુધારીલો સમગ્ર ભારતના મહાન સંતોની વાત છોડીને માત્ર એકલા ગુજરાતના મહાપુરૂષોના ગુણગાન માત્ર દસ લીટીમાં લખવાં હોય તો અનેક મોટા ગ્રંથો બને તેમ છે. લેખક તરીકેની કોઇજ ક્ષમતા નથી નહિતર આજ સેવા ઉતમ છે જે કંઇ લખાય છે તે શ્રી સદગુરૂ કૃપાને આભારી છે.
મા ભગવતિ ઉમિયાજી ક્ષેત્રમાં ગરીબોના વિકાસ માટે ગામે ગામ શહેરે શહેરે ઉમિયારથના આયોજન દ્રારા ફરીને એકસો કરોડ રૂપિયા એકઠા કરનાર આવા શ્રધ્ધાવાન ઉત્સાહી દ્રઢ મનોબળવાળા તરવરિયાં સંચાલકો એક દિવસ અજબો રૂપિયા એકત્ર કરી શકે છે. સાચી દ્રઢ ભાવના અને પ્રબળ પુરૂશાર્થ હોવો જોઇએ.

।। પરમ પુજ્ય શ્રી ગુલાબનાથજી બાપુશ્રી ।।


વિસનગર પુજ્ય શ્રી ગુલાબનાથજીના નિસ્કલંક આસ્રમના વિકાસની વાત છે. આ આશ્રમમાં આવતા જતા સંતો માટે દાન પેટીની વ્યવસ્થા અને એ રોટીના પ્રતાપે ભવ્ય પુરૂષાર્થ દ્રારા એ મંદિરના સેવાભાવી સજ્જન સંચાલકો અને પરમ પૂજ્ય ગુલાબનાથજી બાપુ સાથે મળી નાથજી મહારાજની એ જગ્યાનું સમગ્ર ભારતમાં નામ રોશન કર્યુ. તેના વિકાસ પાછળ કેટલો ભવ્ય પુરૂષાર્થ હશે. અજ્ઞાની જીવોની કાગ દ્રષ્ટિ ચોદુ શોધી ફણક મારવાની વૃતિ છોડતા નથી. પરમ પૂજ્ય શ્રી કોઠારી બાપુશ્રી એમના અનુભવોનું વર્ણન કરતાં જણાવેશે કે એક સમય એવો હતો કે અમારે શ્રી વાળીનાથની સેવામાં ટહેર માટે નીકળવું હોય ત્યારે બળદગાડું અથવા ઘોડે સવારી કરીને નીકળવું પડતું ત્યારે વાહન વ્યવહારનો વિકાસ ન હતો ઘણી વાર ચાલતા પણ એક રૂપિયાની ટેલ માટે ગામડે ગામદે ફરતા, છ છ મહિનાઓ સુધી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રખડવું પડતું અને છ મહિને શ્રી વાળીનાથજીના દર્શન થતાં આ છે ગુરૂભક્તિ આવી આ તપસ્યાવાળી, શ્રમથી ભરપૂર પુરૂષાર્થી ગુરૂભક્તિનો ઇતિહાસ લખવા સ્વયં શારદાજી અને ગણપતિજી સમૃદ્ર જેટલી શાહી અને કલ્પવૃક્ષની કલમ લઈને સદાકાળ બેસેતો પણ હરિગુણ લિખ્યો ના જાય હરિ ગુરૂ સંતો મહિમા વર્ણવવો ઘણો દુર્લભ છે. એ તો અજ્ઞાની કહે છે આ બધા ગ્રંથો અમે બનાવ્યા છે. પરંતુ એને સમજણ ક્યાં છે કે આ બધાનો પ્રેરણા દાતા કોણ છે? અને એ મહિમા જાણે સમજે તો એ જીવ આધ્યાત્મિક દશાનો જીવ કહેવાય છે. મહાત્માપુરૂષોનો મત છે કે " અસિતગિરિજી સમ સ્વાતક્જલંમ સિંધું પાત્રે, શુર તરૂવર શાખા લેખીની પત્ર મૂરવી, લીખતી અદિ રૂહિત્વા શારદા સર્વ કાલમ, તદ પિતવ ગુણાનામ પાર ન યાતી" પરમાત્માએ આ જે શરીર આપ્યું છે તે સર્વ ગુણોનો મહાસગર છે કલ્પવૃક્ષ સમાન આ શરીરના જે અવયવો છે તે દ્રારા સમગ્ર ભંદાર હરિ ગુરૂ સંતની સેવામાં આખી જીંદગી દેહમાંથી પાણી સુકાઇ જાય ત્યાં સુધી લાગ્યા રહિએ તો પણ સદગુરૂ સંત કે શ્રી હરિનો મહિમા વર્ણવી શક્તો નથી. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી ત્રણ વર્ષની ઉંમરે અખાડામાં આવ્યા પૂજ્ય કોઠારી સ્વામીશ્રી છ વર્ષની ઉંમરે સેવા માર્ગ ગ્રહણ કર્યો ત્યારથી પાંછઠ સીતેરની ઉંમર સુધી અવિરત સેવાનો પ્રવાહ વહે છે. આ છે ગુરૂભક્તિનો મહિમા. આ ગૌરવશાળી ગાથા કેમ વર્ણવી શકાય? વિસનગરના શ્રી રામદેવ મંદિરમાં પરમ પૂજ્ય બાલકનાથ્જીના શિષ્ય મહાપૂરૂષ પૂજ્ય ગુલાબનાથજી બિરાજે છે તેઓશ્રી સ્દત્સંગમાં સેવકોને કહે છે કે મનમાં સંકલ્પ વિકલ્પના વિષયનો ત્યાગ થઈ જાય તોજ આત્મસાક્ષાત્કાર થાય,મનનુંવિરામપણું એટલે આત્માનું ઉદભવપણું સદગુરૂ કરાવ્યા પછી ધ્યાન કોનું? એટલેકે સદગુરૂનૂ આખું સ્વરૂપ ધ્યાન છે. ધ્યાનમૂલં ગુરૂમૂર્તિ સદગુરૂતો એમના કહે કે આ દેવી દેવતાનો મંત્ર આપુ છું. તેનું ધ્યાન કરજે સદગુરૂદેવનો પોતાના ઇશારાથી સ્વરૂપનો અનુભવ કરાવે, સુવર્ણ પાત્રે ઢંકાયેલા હ્રદય ઉપરના આવરણને હટાવી સ્વયં પ્રકાશિત પરમાત્મા તારી અંદરજ છે તે તું પોતેજ છે એવો સદગુરૂદેવ આત્મસાક્ષાત્કાર કરાવે એક દીવાથી બીજો દીવો પ્રગટે, અંધકાર સંપૂર્ણ નાશ પામી જાય,સદગુરૂશ્રી જે સ્થિતિમાં હોય એજ સ્થિતિનો આપણને અનુભવ કરાવે, એક પારસથી પારસ બને એક પારસથી હેમ,સમાગમ સદગુરૂનો ઇયળ ભમરીના સંગે ભમર બની જાય આ તો વિખ્યાત વાત છે. આ ઇયળમાં દંખ સહન કરવાની તૈયારી હોય તો જ એકરૂપ બની શકે વળી સંતોએ તો એટલા સુધી કહ્યું છે કે ઇશ્ર્વરથી સદગુરૂ મહાન છે રતન રસ્તામાં પડ્યું હોય તો એની કિંમત નથી પણ એને ઓળખનાર ઝવેરીનું મહત્વ છે, બાકીતો મૂલ્યવાન રતન પણ ધૂળમાં રોળાતૂ હોય છે લગભગ વનસ્પ્તિમાં ઔષધનો ગુણ હોય છે પણ એનો જાણકાર હોય તો અને તે પારખી બતાવે અનુભવી વૈદ જોઇએ ઢગલાબંધ ઔષધીઓ હોય સામે રોગીઓ પણ ઘણા પ્રકારના હોય છતાં જાણકારી સિવાયે કપણ ઔષધી લેવી જોખમરૂપ ગણાય પરમાત્મા ક્યાં નથી સર્વત્ર હોવા છતાં જ્યાંસુધી સદગુરૂની દિવ્ય દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી એ પરમ તત્વજ્ઞાનની પહચાન થતી નથી એ સમજણ સદગુરૂજ આપી શકે કંઇપણ પ્રાપ્ત કરવું હોય તો કંઇક ગુમાવવાની પણ તૈયારી રાખવી પડે આપણે કોઇ બલિદાન કે ભોગ આપવો નથી અને એમજ સર્વ પ્રાપ્ત કરી લેવું છે દુનિયામાં બધી વસ્તું પૈસાથી મેળવી શકાય પરંતું ગુરૂપ્રેમ્ કે ગુરૂત્વ પદ પૈસાથી ના મેળવી શકાય એ તો પ્રેમ અને સમર્પણ ત્યાગથીજ પ્રાપ્ત થાય,દુઃખનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાની લોકો એમ વિચારે કે બાવાઓને વળી આવો વૈભવ શુ કરવો છે આટલો ઠાઠમાટ સંન્યાસીને વળી શોભ? જ્યારે જ્ઞાની માણસ એવું વિચારે છે કે વાહ મહાપુરૂષોનો કેટલો મહાન પુરૂષાર્થ હશે? આપણી આખી જીંદગી કઠલા કર્યા પરંતુ ઘેર આવેલા પાંચ દસ મહેનાની પણ પૂરતી સરભરા કરી શકતા નથી જ્યારે આ મહાપુરૂષો તો રોજનો હજારો દર્શનાર્થીઓને ઉતમ પ્રકારનું ભોજન કરાવે છે અનેક ધર્મસ્થાનો ઉપર અસંખ્ય ભક્તોની ભોજન સમયે પગંત પડે છે. અને મહાપ્રસાદ ગ્રહણ કરે છે સુરેન્દ્ર નગર પાસેના કોઠારીયા ગામે પરમ પૂજ્ય વજાભગતના અન્નક્ષેત્રમાં ૨૦૦ જેટલી બહેનો રોટલા ઘડે છે. અનેચારસો જેટલા સ્વયંસેવકો એ રોટલાથી અનેક ગરીબ ભૂખ્યા માણસોના જઠરાગ્નિને શાંતિ આપે છે. વૈસ્વારનરને તૃપ્ત કરે છે. સુરેન્દ્ર નગર પાસેના દુધરેજ ગામે વડવાળા ધામમાં અનેક ભક્તો સેવકો અને સંત સાધુંકે ગરીબોને પુરતું ભોજન પીરસાય છે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના થતી આવેલી ઉતમ સેવા તો જ સંત મહાપુરૂષોજ કરી શકે, ગુજરાત સૌરાષ્ત્રની ધરતી ઉપર ઠેર ઠેર મહાપુરૂષોએ તિર્થધામો સંસ્કાર ધામો લોક સેવાર્થે સ્થાપિત કર્યા, ઉગ્ર તપશ્ર્યા અને મહાન પરિશ્રમ પૂર્વકનો પુરૂષાથ કરી, આશ્રમ મઠો જગ્યાઓ મંદિરોની સ્થાપના કરી છે. જ્યાં આધ્યાત્મિક શક્તિનું પ્રદાન થાય છે છતાંય અજ્ઞાનીઓ ભગવા ભેખધારી એવા મહાપુરૂષોની ટીકાઓ કરતા હોય છે આવા વ્યક્તિઓ માનવતાના દુશ્મન છે જે ઇર્ષાની આગમાં સતત બળતા હોય છે શક્તિહીન અને કાયર માણસો મહાપુરૂષની આવી દિવ્ય અને ભવ્ય એબ્વી મહાનતા સહન કરી શકતા નથી. પરમ પૂજ્ય ગુલાબનાથજી કહે છે સંસારના પ્રદાર્થો કોઇએ દુઃખકે દબાવ દેતાં નથી, દુઃખતો અજ્ઞાતમાં છે ઘણા મહાપુરૂષો વૈભવમાં રહેતા હોય છે. છતાં પણ જરાય આશક્તિ ના હોય પણ ઝુપડીમાં રહેતા હોય પણ લંગોટીની આશક્તિ છૂટતી નથી. માટે બહારની ભવ્યતા કે દુર્બળતા કે બહારના પદાર્થો કોઇ દુઃખ દેતાં નથી. ગુરૂપૂર્ણિમા શ્રી ગુરૂને બારમાસનો કર ભરવાનો દિવસ નથી, એ આધ્યાત્મિકતાનાં લેખાં લેવાનો દિવસ છે. આપણે શ્રી ગુરૂ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાનો દિવસ છે ઘણી બાબતો એવી છે કે શબ્દ દ્રારા તેનું વર્ણન થઈ શકતું નથી ગુરૂકૃપા પ્રાપ્ત થાય તો પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જેવી સ્થિતિ અવશ્ય બને જ વ્યવહારમાં પણ આનંદ વર્તાય પરમ પૂજ્ય બાપુશ્રી પણ કેવી પરખ કરી કે પરમ પૂજ્ય મહાદેવગિરીજી બાપુશ્રીના પંદર વર્ષના કારભારીપણાને જોઇને તેમના સ્વર્ગવાસ પછી તેમના સમાન વ્યક્તિને પારખીને પરમ પૂજ્ય મહંત બાપુશ્રીએ વર્તમાન પૂજ્ય સ્વામીશ્રી ગોવિંદગિરીજી બાપુશ્રીને કોઠારી તરીકે જવાબદારી સોપીં, પરમ પૂજ્ય મહંતસ બાપુશ્રીની એ દિવ્ય કોઠાસઉઝના શ્રી વાળીનાથધામના વિકાસ દ્રારા હાલ દર્શન થઈ રહ્યા છે આટલી મોટી જવાબદારી સંભાળવી દરેક સમાજ સાથે નિસદિન સંપર્કમાં રહેવું રાજા મરૂત જેવી શાસન જેવું આ ભવ્ય કાર્ય કોણ વહન કરી શકે? પણ પરમ પૂજ્ય કોઠારી બાપુની અસામાન્ય બુધ્ધિમતાએ અખાડાનું ભવ્યમાં ભવ્ય ભવ્યતા અપાવી દીધી.

શ્રી મરૂત



પરમ પૂજ્ય દાદાશ્રી પાડુંરંગ આઠવલેજી કહેતા કે મરૂત જેવો મહાપુરૂષ કે મહારાજવી કોઇ ભાગ્યેજ બની શકે છે
બાલ રવિનાં કિરણો વાતાવરણને પ્રસંન્ન બનાવતાં હતાં પરસેવાથી રેબઝેબ થયેલો એક યુવક ઘોડે સવાર રાજ મહેલના દરવાજા પાસે આવી છલાંગ મારી ઘોડા ઉપરથી નીચે ઉતરી રાજમહેલમાં પ્રવેશ કરે છે. તેજસ્વી મુખમુદ્રા અને કસાયેલો શરીરનો બાંધો તેના વ્યક્તિત્વની આગવી પ્રતિભા ઉપસાવતા હતઆં પ્રૌઢોને પણ શરમાવે તેવી ધૌર્ય અને ગાંભીર્ય તેના આર્કષક મુખ ઉપર સ્પષ્ટ વર્તાતા હતા, પ્રસ્વેદ બિદુંથી શોભતો એ યુવાન ઝડપભેર રાજમહેલમાં દાખલ થયો, એક બુલંદ અવાજ તેના કાને અથડાયો બેટા મરૂત અહીં આવોતો, વૃધ્ધ દાદાએ હાક મારી મરૂત પાસે આવ્યા, દાદાએ પ્રેમથી પીઠ ઉપર હાથ ફેવરતાં કહ્યું આજે ઘોડાને ખુબ દોડાવ્યો લાગે છે. બેટા તને એક મહત્વની જવાબદારી સોંપવાની છે આજે આ તારા વૃધ્ધ દાદા તારા ખભે આ રાજ્યની જવાબદારી સોપીને મુક્ત થવા માગે છે. રાજની ધુરા તારે વહન કરવાની છે આ યુવાન મરૂત હજું તો ખેલવા કુદવાની ઉંમર હજું તો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી, ત્યાં આટલી મોટી જવાબદારી મરૂતને સપન્ને પણ ખ્યાલ હતો નહિ રાજમુગટ પહેરવો સારો લાગે છે. પણ તેની જવાબદારીનું ભાન થતાં જ તેની મુશ્કેલીઓ સહાજમાં ખ્યાલ આવે છે. મરૂતનું મન સહમત નથી થતું પરંતું વિધીની આ વિચિત્રતા છે આ માનવ જીવનની ઘટમાળ જ એવી છે સુખ દુઃખની પરંપરા ઉભી કરનાર આ ઘટમાળ થૉડીજ કોઇનો વિચાર કરે છે? જેને શ્રી રામ-કૃષ્ણને પણ છોડ્યા નથી, પોતાના તાલે નચવ્યા છે તે વળી મરૂતને કેમ ન છોડે આખ્રે મરૂત દાદાની આજ્ઞા માન્ત્ય રાખી યુવાન રાજકુમાર ઠરેલ ગંભીર બની રાજધુરા વહન કરવા રાજવી બન્યો. નગરજનોમાં આ ચર્ચાનો વિષય થઈ પડ્યો પુત્રની રાજગાદી આપવાને બદલે કરમધમ નરેશે પૌત્રને કેમ રાજગાદી કેમ સોંપી? હજી તો મરૂત નાનો છે અને નરેશ પણ એવા ક્યાં વૃધ્ધ થયા છે કે આમ એકાએક રાજગાદી ઓડીને ચાલ્યા જવાનો વિચાર કરે? કરમધન નરેશે ભારતીય પરંપરાને અનુંલક્ષીનેજ આ નિર્ણય લીધો હતો સમય પ્રમાણે નિર્ણય ના લઈ શકનાર વૃધ્ધ થયા પછી પણ જવાબદારીનો ભાર ઉંચકીને ફરે તેનું જીવન વ્યર્થક છે પોતાના કલ્યાણ માટે કંઇ કરવાનું કે પછી ભાર જ વેઠવાનો કરમધમ નરેશના પુત્ર અવિકક્ષીત રાજગાદી લેવા માટે તૈયાર ન હતા. તેમને જ્યારે અવીક્શીતને પૂછ્યું કે બેટા હવે હું ક્યાં સુધી રાજની જવાબદારી ઉપાડું તું મને મુક્ત કરે તો કોઇ તપોવનમાં જઈને આ કાયાનું કલ્યાણ કરૂ. ત્યારે અવીક્ષીતે કહ્યું કે પિતાજી હું રાજ ચલાવવા માટે અસમર્થ છું ત્યારે નરેશે કહ્યું કે બેટા તારા બાહું બળ ઉપર તો આખું રાજ નિર્ભય છે તું કેમ તારી જાતને અસમર્થ માને છે? ત્યારે અવીક્ષીત કહે છે. પિતાજી વિશાલ રાજાએ મને કેદ કર્યો અને આપના દ્રારા હું છૂટ્યો છું એ કલંકથી હજી હું મુક્ત નથી થયો તેથી રાજગાદીને હું લાયક નથી નરેશે કહ્યું કે બેટા હું અને તું ક્યાં જુદા છીએ અને બાપને સહારે દીકરો મોટો થતો આવ્યો છે એ તો સામાન્ય વાત છે આ સંભળી અવીક્ષીતે બહું તેજસ્વી જવાબ આપ્યો હે પિતાજી બાપના નામ ઉપર ફક્ત નિર્ભય રહે એ તો પુત્ર કહેવાય સુપુત્ર નહિ, જે માણસ પોતાનું રકક્ષ ના કરી શક્યો તે પ્રજાન શું રકષ કત્રી શકશે નરેશે મંત્રીઓ ,દરબારીઓ, ન્યાયધીશો વગેરેને બોલાવી નિર્ણય જાહેર કર્યો કે અવીક્ષીત રાજ્યાભિષેક માટે તૈયાર નથી તેથી તેના પુત્રને તેનો ઉતરાધિકારી બનાવવો, મરૂત નાનો હતો પરંતું તેજસ્વી,ગુણીયલ,ાને સમજદાર હતો તેથી સૌએ કરમધમ નરેશના પ્રસ્તાવને વધાવી લીધો મરૂતનો રાજ્યાભિષેક થયો બીજે દિવસે નરેશ તપોવન જવા વિદાય લીધી સૌ જનતાએ વિદાય આપી રાજા મરૂત દાદાને પગે લાગ્યા, દાદાએ આર્શીવાદ આપ્યાં અને પ્રજાને પ્રેમથી સાજવજ સંત ગુરૂજનોની સેવા કરજો આમ કહીને નરેશ અને વીરારાણી પોતાના કલ્યાણ માટે તપોવનમાં ચાલ્યા ગયા મરૂત વિચારે છે કે મારૂ રાજ સમૃધ્ધ અને સુંદર છે પણ લોકોમાં સંસ્કારોનો અભાવ છે સંતો ગુરૂજનોના સતસંગની ખામી છે સત્સંગી સંતો આવાતા જતા નથી, માટે સંતોની પધરામણી કરાવી જાતે સેવા કરી સંતોના સત્સંગનો પ્રજાને લાભ અપાવી કૃતાર્થ થવું એમ અંગીરથના પુત્ર સંવતે મરૂતને કહ્યું જેમ શ્રી વાળીનાથ ધામમાં કોઇ સંતો મહંતો પધારે ત્યારે પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જાતે સ્વાગત કરી આસનો બનાવી સતકાર કર્યો અને સંતોને જે કંઇ જોઇએ તે જાતે દોડીને હાજર કરી દે છે આ રાજા મરૂતે અને સંવતે બંન્ને મળીને વિચાર કર્યો કે આ કાર્ય એવી રીતે કરવૂ મરૂતે મોટા મોટા યજ્ઞ કરવા માંડ્યા યજ્ઞનો અર્થ વિશાળ અને વ્યાપક છે તેની સંસ્કૃતિ કાર્યની દિવ્યતાપણ છે યજ્ઞવેદી જ્યાં મૂકવામાં આવે ત્યાં વિદ્રવાનો ભેગા થાય, શ્રી ગણેશજીની પ્રતિષ્ઠા થાય, અગ્નિની પ્રતિષ્ઠા કરી આહુતિ અપાય, આજુંબાજુના લોકો આવે એમને ઉપદેશ આપવામાં આવે વિદ્રવાનો ગામડૅ ગામડે ફરીને સતસંગ સંભળાવે લોકોને સંસ્કૃતિથી સભાન કરે માનવતાના પાઠ ભણાવવામાં આવે આ પ્રમાણે રાજા મરૂતે યજ્ઞો કરયા, સંત ગુરૂજનો પોતાના રાજમાં પધારવા લાગ્યા યજ્ઞ માટે લક્ષ્મીની તો જરૂર પડે જ તેને સમાચાર મળ્યા કે મૂઝ પર્વત ઉપર લૂટરૂઓએ દાટેલ બધૂજ ધન લાવીને સતકાર્ય, સેવાયજ્ઞમાં વાપરી દીધું પશુંવત જીવન જીવતા માનવીઓને માનવ જીવનની શ્રેષ્ઠતા શીખવી લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પ્રગટાવ્યો અને લોક હ્રદયમાં પૂજ્ય ભાવનું સ્થાન જમાવ્યું. રાજ્યમાં ગુરૂજનોના વચનોમી સતા સ્થાપી. " મરૂત; વરિવેષઠારો મરુતવસ્યા વસન ગૃહે " આમ દિવ્ય મંત્રમાં પણ રાજા મરૂત સ્થાપિત થયા આવું દિવ્ય કામ શ્રી વાળીનાથજી ધામ વિશે પરમ પૂજ્ય મહંત શ્રી પરમ પૂજ્ય કોઠારી શ્રી એ કર્યું અને આ ધામની અતિ રળીયામણી શોભા વધારી દીઢી એના મૂળમાં ગુરૂજનિઓની સેવા હોવી જોઇએ, પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની શાંત પરમ પૂજ્ય કોઠારી બાપુ ભારતમાં પ્રસરાવી એક આર્દશ સ્થાપિત કર્યો છે . આવા દિવ્ય ગુરૂ શિષ્યન સદભાગ્યેજ પ્રાપ્ત થાય છે. એ સદભાગ્ય પ્રાપ્ત કરવા ગુરૂશિષ્યની સરખામણીમાં આપણે આખા જીવનનું અવલોકન કરીએ, પળે પળ આપણું જીવન ઉદવેગ વાળું બની જાય છે કોઇ સહેજ મશ્કરી કરી તિરસ્કાર કરે વગર વાંકે હડધૂત કરે નિર્દોષ હોવા છતાં દોષારોપણ થા ત્યારે આપણે ધીરજ ગુમાવી બેબાકળા થઈ જઈએ છીએ સતસંગના વ્યવહારમાં એક સેવકને માન મળે અને બીજાને ના મળે , એકને પ્રેમ મળે બીજાની ઉપેક્ષા થાય, સદગુરૂ એકને યાદ કરે બીજાને ના સંભાળે ત્યારે મૂઝાઇ જવાય કોઇ ભક્ત આપણા ગમતામાં વર્તે ના વર્તે આપણે કોઇ કલ્પના કરી રાખી હોય અને સદગુરૂ સાકર ના બનાવે આવી વિચિત્રતાના શંભૂ મેળા જેવા સમાજમાં સાથે રહેવાનું થાય તો મુંઝવણ ઉભી થઈ જાય છે એ બધી જ ગુરૂભક્તિની કચાસ છે સદગુરૂને સમર્પિત બનીને સદગુરૂનાં જીવનનું દર્શન કરતા રહીએ,તો કંઇજ આ દુનિયામાં અશ્કય નથી કાંઇ જાય છે. થયું છે અને થશે. તેના પ્રેરક એક સદગુરૂજ છે તો શા માટે આનંદમાં ના રહેવું આમ વ્યાપક સ્વરૂપે જોવાં મારા શ્યામને વાસુદેવ સર્વમિતિ એ ભાવના દ્રઢ થશેતો મહાપુરૂષો પ્રસંન્ન થશે જ હું મા કરે એક તુ એમાં કરે એક તુ સૌમાં કરે એક તુ બસ તુ તુ તુ પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી પરમ પૂજ્ય મહંત બાપુશ્રી પ્રત્યે આ રીતે વર્ત્યા તેઓ સ્વ અને સર્વને માટે જ વર્ત્યા છે.

ભેદ દ્રષ્ટિ રહિતનો સબંધ



પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને કોઠારી બાપુશ્રીનો જે સ્નેહ સબંધ છે. તે ખુબજ ગહન છે. બન્નેનું જીવન છે. તે ભેદ દ્રષ્ટિ વિનાનુ જીવન છે. પૂજ્ય કોઠારી બાપુશ્રી પાંચ દશ દિવસ કોઇ કામને લઈને બહારગામ જાય ત્યારે પરમ પૂજ્ય મહંતબાપુશ્રીને બિલકુલ પાલવતું નથી. આવો સ્નેહનો ઉઠાવ સદગુરૂશ્રી પ્રત્યે કેળવવો એ મહાન પુરૂષાર્થ છે. જગતમાં ઘણી જગ્યાઓમાં એવાં પણ દર્શન થાય છે કે એક મહાપુરૂષના ગુણગાન બીજાથી સહન થતા નથી, આવી ઇર્ષાના ખતરનાક વૃતિ જીવને કોરી ખાય છે. પરંતુ અહી શ્રી વાળીનાથ ધામની વાત જૂદી છે. આ મહાન સંતમહાપુરૂષોની આજ્ઞામાં પંચમહાભુતો રહેતા હોય,પંચ વિષયોનો કોઇ સંક્લપ નહિ વળિ બધાની સમદ્રષ્ટિથી પ્રાર્થના પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સાંભળ આનું નામ ભેદ દ્રષ્ટિ વિનાનુ જીવન હું અને તું એક અને સહુંથી વાળીનાથ ભગવાનના સ્વરૂપો એનું નામ દિવ્ય દ્રષ્ટિ, પરંતુ કોણ જાણે કેમ આવું ઝાકપણૂ સૌ ભૂલી જાય છે. આપણને સદગુરૂ નિહાળે છે. ખાય છે પીએ છે,અને બધી જ ક્રિયા કરે છે દસ ઇન્દ્રીઓ,ચાર અંતઃકરણ ગુરૂને લીધે સુખી છીએ થોડી ઘણી બુધ્ધિ શક્તિ કે ગુણ આપણા દેહમાં વૈરાગ્ય નારાયણનું ચૈતન્ય હતૂ જ પણ બ્રહ્મની એ શક્તિનો પ્રવેશ નહતો તેથી તે જડ હતો તેનું હલચન સંપુર્ણ હતું જ્યારે બ્રહ્મની શક્તિએ પ્રવેશ કર્યો,ત્યારે આ વિરાટ નારાયણનું ક્રિયા કરવાની જાણ્યા છતાં બિચારો જીવ એના હું પણામાંથી બહાર આવતો નથી એક કવિએ સરસ વાત લખી છે કે ઉંદર શુશુ કરે છે, ગુવડ ગુ ગુ કરે, ચકલી ચી ચી કરે અને અજ્ઞાની હું હૂ કરે ચારે સરખા છે અહો ઐતન્ય કેવી ક્ષુદ્રતામાં રાચી રહ્યો છે. સદગુરૂનો સબંધ થયો હોત તો આવી સમજણ કોણ આપત સદગુરૂએ કેવી દયાકરી કેવી સુઅ આપી અને છેવટે ભગવાન બનાવ્યા, આવા મહાપુરૂષો ગુઇજરાતમાં ઘણા બિરાજે છે પરમ પૂજ્ય સદગુરૂ શ્રી બળદેવગિરિજીબાપુશ્રી અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી જેવા મહારથીઓ વાળીનાથની પવિત્ર ધરતી ઉપર બિરાજે છે પરમ પૂજ્ય મહંત બાપુશ્રી પોતે અષ્ટાંગયોગી ગુરૂ છે પણ તેમનો આખો ઉઠાવ સેવા ઉપર સરભર છે. એમના દરેક સંતોને ભક્તોની સેવામાં જોડી દીધા છે પણ જો સમજણનો અભાવ ઉભો થાય તો એક અંતરય ઉભો થઈ જાય સુહ્રદય ભાવની જે મીઠાશ પ્રગટવી જોઇએ તે પ્રગટે નહિ, અને તે સમજણ જડ સંજ્ઞાને પામી જાય છે જે ધર્મ કોઇ સંત ધર્મ જ્ઞાન વૈરાગ્ય કે ભક્તિ અને સમર્પણ ભાવનું ખંડન કરાવે તો તે સર્વ અભદ્ર છે. તેના સંગ ના થાય સમર્પણ ભાવ જ જીવનું જીવન છે. સમર્પણ વિના બધા સદગુણો નકામા છે જ્યાં સુધી કોઇ સંતમાં સમજણનો ભેદ હશે તો અંદરો અંદર આત્મીયતાથી ઉઠાવ લઈ શકાશે નહિ કોઇને પોતાનો દોસ્ત કર્યો છે? શું છે ? પોતાની ભૂલ ક્યાં થાય છે તેનો થોડો પણ ખ્યાલ આવષે નહિ. સાથી સદ્ગુરુના સમાગમ વગર સમર્પણ ભાવની કચાશ રહિ જાય તેથી સંતોએ કે પરિવારના સભ્યોએ સમય મળે ત્યારે સાથે મળી બેસવું સતસંગ કરવો,તેથી આત્મીયતા દ્રઢ બને છે. નિખાલસ ચર્ચા વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સ્નેહ ગાંઠ મજબૂત બનાવે છે. પરમ પૂજ્ય પાક વંદનીય ગુરૂદે વિરમગિરીબાપુશ્રીનો દિવ્ય સંકલ્પ છે. ઘણા સંતો થકી શ્રી વાળીનાથ પ્રભુનુ કામ કરાવવું છે. જેને જે સ્વરૂપ સાથે પ્રિતી થાય તેને તે સ્વરૂપ સાથે સર્વોપરી ભાવે જોડાવાનું છે. સાધક માટે ધ્યાનનિય ચિંતનીય સદ્ગુરૂ સ્વરૂપ કોઇ એક જ હોવો જોઇએ પરંતું સાથે રહેનારા સંતો પ્રત્યે ઉપેક્ષા ભવ રાખવો તે એક મહાપાપ છે બીજા સંતો સાથે પણ પૂજ્ય ભાવ રાખ્વો એજ સાચી ગુરૂભક્તિ છે. રંજ માત્રભેદ ના રખાય જો ભેદ દ્રષ્ટિ ઉભી થશે તો ગમે તેટલી માળા ભજન કે સમર્પણ કરીશું તો પણ વ્યર્થ જશે જો સદગુરુ શરણમાં ભેદ દ્રષ્તી રાખીને ખેચતાણ કરીશું નિર્દોષ થવાશે નહિ એક કવિએ ગાયું છે કે......
આજ સરખે સરખા ભેરૂ રે આનંદમાં ગુમે રે. આજે આખા માલધારી સમાજમાં બસ એક અવાજ છે તમે તમે મોટા, બળદેવગુરૂ તમે મોટા, બસ આજે તો આવી એક જ ભાવના વ્યાપ ક બની છે મારે મંદિરે માલે રે બસ તુ તુ તુ.... અને પૂજ્ય મહંત બાપુશ્રી તેમજ પૂજ્ય કોઠારી બાપુશ્રી દરેક નાના મોટા દોષોને માફ કરીને ઉદારતા પૂર્વક સમા દ્રષ્ટિથી દરેક સંતોને પોતાના પણાના ભાવે રાખે છે.

સમ્યક નિર્દોષ બુધ્ધિ



સમ્યક નિર્દોષ બુધ્ધિ એટલે પરમ પૂજ્ય પ્રાતઃવંદનીય શ્રી વિરમગિરિજી બાપુ હતા તેજ શ્રી પરમ પુજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી બાપુશ્રી છે. જેને આવી સમજણ કાયમ છે. અને આવી સમજણ કાયમી રાખવી એનું નામ સમ્યક નિર્દોષ બુધ્ધિ, ભગવાન અને સંત મહિમાની વાતો કાયમ કરવી અને સાંભળવી આ પૂજ્ય બાપુશ્રી તોપોતાનું સમગ્ર ઐશ્વર્ય લૈનેજ પધાર્યા છે. એવા ને એવાજ છે. કાંઇ બાકી નથી,એમ ના સમજાય તો મનમાં દુર્બળતા રહે છે.અને આવું સમજાય ત્યારે કોઇ દિવસ જીવનમાં દુર્બળતા મનાય જ નહિ,અને જીવ બીજી રીતનો થઈ જાય છે તે મહિમા સમજવા જેવું બીજું કોઇ મોતું સાધન પણ નથી, તે મહિમા વિનાનો જીવ બીજાં ગમે તેટલાં સાધન કરે તો પણ આ જીવ બળને પામે નહી,અને આવો મહિમા સમજવાનું કારણ કરે તો પણ આજીવ બળને પામે નહિ અને આવો મહિમા સમજવાનું કારણ તો એવા મહાપુરુશોનો સંગ છે તે વિનાતો મહિમા સમજાતો નથી, હે સદગુરુ આપજ પરમાત્માનું દિવ્ય સ્વરુપ છો. આ રહસ્ય સમજાઇ જાય તો જીવનમાં અખંડ આનંદ રહે,આટલી આ વાતને સમજવા સન્તોની ગાથાઓ જ કામ લાગે એવી છે.સુર્યના રથમાં અંધારું હોય જ નહી, તેમ સર્વ ગુણોના દાતા, સર્વ ગુણોના નિધિ, સર્વ સામર્થ્યના સમ્રાટ એવા સંતો મહાપુરુષોનો સંબંધમાં આવ્યા પછી જીવને દુઃખ કે મૂંઝવણ કોઇપણ સંજોગોમાં હોઇ શકે જ નહી, માટે જેટલી સદગુરુ પ્રત્યે નિષ્ઠા પાકી તેટલોજ જીવ સુખી, આવી નિષ્ઠામાં જેટલી ક્યાસ એટલો જીવ દુઃખી આ વાત તો બહુ મોટી છે.

સદગુરુના મુળ સ્વરુપની નિષ્ઠા એતો જીવનની શ્રેષ્ઠતા કહેવાય,આવા મહાપુરુષોએ જ શિષ્યને સ્વરુપ નિષ્ઠા દ્રઢ કરાવી તેના આધ્યાત્મિક પાયા પર સમ્યક નિર્દોષ બુધ્ધિની ઇમારતો ચણી છે. જેટલો આપણો પુરુષાર્થ જેતલો સમર્પણ ભાવ જેટલી નિર્દોષ બુધ્ધિ એટલાજ પ્રમાણમાં મહાપુરુષો આપણને દ્રઢતા કરાવી દેશે, આમ નિર્દોશ બુધ્ધિ સમર્પણ ભાવ એક સિક્કાનાં બે પાસાંછે. બંન્ને એકબીજાના બિંબ પ્રતિબિંબ સ્વરુપો છે. પડછાયા રુપે છે. આમ બંન્ને એકબીજાની સથે અવિભાજ્ય પણે જોડાયેલા છે.

ગુરૂ ભક્તિ યોગ



એક શિષ્યે પૂછ્યું. ગુરુજી સર્વોપરી સેવા કોને કહેવાય? શ્રી સદગુરૂ બોલ્યા કે નિર્દોષ બુધ્ધિ જેવી મોટી કોઇ મોતી સાધક ભલે દાર્શનિક બની જાય, વિશ્વ વિખ્યાત વક્તા થવાનો યશ પણ મેળવી લે, સૈકાઓ સુધી હિમાલયનો ગુફાવાસી બની રહે, વર્ષો સુધી પ્રાણાયામ અને યોગાસનનો અભ્યાસ કરતો રહે, પરંતુ બિન કૃપા મોક્ષ નહી પાઇ,એ ત્યારેજ મોક્ષભાગી બની શકે જ્યારે કોઇ સદગુરૂના કૃપા પાત્ર બનવાનું સૌભગ્ય પ્રાપ્ત થાય, અન્યથા તો લાખ ચોરાસીના ફેરામાં વારંવાર ભટકવું પડશે, સાંસારિક ગુરૂ કરતાં આત્મસાક્ષાત્કારી ગુરૂની મહત્તા વિશિષ્ઠ પ્રકારની માનવામાં આવે છે. આત્મસાક્ષાત્કારી ગુરૂ અને ઇશ્વરમાં એકતાની પ્રતિતિ સર્વ માન્ય બની ચૂકી છે. સાધક સમક્ષ- સક્ષાત ઇશ્વર ઉભા હોય પરંતુ ગુરુ વિના ઇશ્વરત્વની ઓળખાણ થૈ શકતી નથી, સાધકને જો ગુરૂની કૃપા પ્રાપ્ત થઇ જાય તો ગુરૂ સ્વયં સાધકની હ્રદય ગુફામાં વિશિષ્ઠ રિતિઓથી બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરાવી શકે છે. આવા ગુરૂની કૃપાથી વેદાન્ત વગેરે ગુઢ રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કરીને સાધ્ક પોતાની અંદરજ બ્રહ્માનુભુતિ કરી લેશે., દિવ્ય સત્તાનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની ચાવી ગુરૂકૃપામાં જ રહેલી છે.આવા ગુરૂ શિષ્ય માટે સર્વસ્વ ગણાય. તેઓજ સાધ્ક માટે આધ્યાત્મિક સાધના માર્ગના સાચા રહસ્યોદઘાટક બનીને આવે છે અને એના માટે ચિતરંજન ચિર્કાળ શાંતિનો પંથ પ્રકાશિત કરે છે. શિષ્યનું આત્મસમર્પણ અને ગુરૂ કૃપા એ બંન્ને પરસ્પરાવલંબી છે. સાધકની શરણાગતિ ગુરૂકૃપાને આમંત્રિત કરે છે. અને ગુરૂકૃપાને પામીને શરાણાગતિ સફળ બને છે. સાધકને જો સાચા સદગુરૂ સુલભ હોય અને એમની કૃપાદ્રષ્ટિ મળી જાય તો સાધકને સત્ શિષ્યને કોઇપણ વસ્તુ અપ્રાપ્ય રહી શકતી નથી. ગુરૂકૃપાના ગુરુત્વાકર્ષણથી સાધક પોતાના ઇષ્ટ્દેવને પ્રત્યક્ષ પણે મેળવવામાં સફળ થઇ શકે છે. સક્ષમ સદ્ગુરૂ એક એવું માધ્યમ છે જે ઇશ્વર કૃપાના શ્રોતને સતત સાધક તરફ પ્રવાહિત કરતા રહે છે. સાધક માટે પોતાના સાચા ગુરૂ સૌથી વધારે વત્સલ,દયાર્દ અને પ્રિયતમ હોય છે. એના માટે ગુરૂથી વિશેષ કોઇ શ્રેયકર દેવ નથી. સદગુરૂના સત્સંગથી વધારે ઉપયોગી બીજી કોઇ સાધના નથી. પરાપૂર્વથી માનવસમાજ સાધુ,સન્યાસી,જ્ઞાની,સદ્ગુરૂની આવશ્યકતાનો સ્વીકાર કરતો આવ્યો છે.સદગુરૂના અભાવમાં સાધક ક્યારેય આધ્યાત્મિક માર્ગ પર ચાલી શકતો નથી. જેઓ આત્માનુભવમાં નિત્ય નિરંતર જાગૃત રહેતા હોય એવા વેદ્જ્ઞ,શાસ્ત્રજ્ઞ અનુભવનિષ્ઠ જ્ઞાન સમૃધ્ધ જીવિત બ્રહ્મ્વેત્તા સત્પુરુષના શરણમાં પહોંચી જ્વું જોઇએ. એ માટે મનની સહમતિ અનિવાર્ય છે.મનના સહ્કાર વિના ઇન્દ્રિયો નિષ્ક્રિય રહે છે. મનને વશ કરવા ગુરૂકૃપા જ સરળ ઉપાય છે. જો મન સાથ ના આપે તો સાધક સમાધિ અવસ્થા અને અતિ ચૈતન્યાવસ્થામાં પહોંચી શકતો નથી. આ કાર્ય ગુરૂકૃપાથી જ સિધ્ધ થઇ શકે છે. ગુરૂની સહાયતાના અભાવમાં જે ભક્તો,સેવકો,સાધકો મન ઉપર સંયમ મૂકવાનો પ્રયત્ન કરે છે. એવા ભક્તોનું જીવન હલેસા વિનાની નાવ જેવું છે. આધ્યાત્મિક માર્ગ કાંટાળો માર્ગ છે. એ સીધા ચઢાણનો માર્ગ છે. આ માર્ગમાં પ્રલોભનો ડગલેને પગલે આક્રામક રૂપ ધારણ કરીને વિઘ્નો નાખે છે. જેથી ઉત્થાનના બદલે પતનની સંભાવના રહે છે. માટે આ માર્ગના પારંગત હોય એવા સદગુરૂનું શરણ સાધી લેવામાં જ ડહાપણ રહેલું છે. તમામ શાસ્ત્રો શ્રીકૃપાની આવશ્યકતા ઉપર અત્યંત ભાર મૂકતા આવ્યા છે. બાગ બગીચાને માળી અનિયંત્રિત ડાળીઓ કાઅપી કુપીને કલાત્મક સ્વરૂપ આપી મનોહર બનાવે છે. ત્યાં સુંદર ફૂલો મધમધે છે. ભમરા ગુંજારવ કરે છે. સુંદર શોભા બનાવનાર માળીના અભાવે એજ બાગ ભયાનક જંગલનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યાં સાપ જેવા ઝેરી જીવોનો પણ ઉપદ્રવ વધી જાય છે. આપણા જપ,તપ,દાન,વ્રત તેમજ વિદ્યા વગેરે કોઇપણ અનુષ્ઠાન શ્રીગુરૂના અભાવથી નિસ્તેજ અને અસાર સબિત થાય છે. કોઇપણ વિદ્યામાં નિપુણતા આવતી નથી. શિષ્ય બીજી રીતે ભલે ગમે તેટલો મહાન હોય પણ નુગરો રહીને કદી પણ નિર્વાણ સુખ કે આત્માનંદ્નો અનુભવ કરી શકતો નથી. આપણા પ્રાચિન ઇતિહાસ પર દ્રુષ્ટીપાત કરો , કોઇપણ મહાઅન ઋષિ મહર્ષિ , પીર પયગંબર, જગદગુરૂ , અવતાર કે ભક્તોને દરેકને પોતપોતાના કોઇને કોઇ સમર્થ ગુરૂ અવશ્ય હતા. જ. જેઓએ યુગને અનુરૂપ તેમને સફળ માર્ગદર્શન આપીને જ્ઞાન,મહિમાના શિખરે બેસાડી દીધા હતા. બ્રહ્મ , વિદ્યા એક સુક્ષ્મ અને ગહન વિદ્યા છે. એના અભ્યાસ દરમ્યાન ઘણી શંકાઓ જાગે છે.કોઇ બ્રહ્મવેત્તા સદગુરૂજ આવી શંકાઓનું સમાધાન કરાવી શકે છે. સાચા સાધકને ખુબજ વાત્સલ્ય ભાવે પોતાના માર્ગદર્શનમાં રાખે છે અને એવા સાધકને આધ્યાત્મિક વિકાસમાં વિવિધ પ્રકારનું જ્ઞાન આપીને આગળ વધારે છે. વિચક્ષણ ભક્ત પણ સદગુરૂશ્રીના અભાવમાં વૈદિક વિદ્યાનું શાસ્ત્ર સંમત એવું દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી સદગુરૂ જ શિષ્યમાં છુપાયેલી દૈવી શક્તિઓને નવી ચમકથી પ્રગટાવી શકે છે. ક્ષેત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ દ્વારા આત્મસાક્ષાત્કારમાં સફળતા મેળવી મોક્ષનો અધિકારી બની શકે છે.